Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

કોંગ્રેસ વસ્તી નિયંત્રણ બિલ લાવી હોત, તો મારે ચાર બાળક ન હોત, હું અટકી ગયો હોત: અભિનેતા – News18 ગુજરાતી

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ રવિ કિશને કોંગ્રેસની આગેવાની હેઠળના અગાઉના શાસનના ખરાબ સંચાલન પર ચાર બાળકો હોવાનો આરોપ મૂક્યો હતો. એજન્ડા આજતક 2022 કાર્યક્રમમાં ગોરખપુરના લોકસભા સાંસદ રવિ કિશને વસ્તી નિયંત્રણ બિલ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અગાઉની સરકારે આ પાસામાં સતર્ક રહેવું જોઈતું હતું અને જો તેમણે વસ્તીને અંકુશમાં લેવા માટે કાયદો ઘડ્યો હોત, તો તેમને ચાર બાળકો ન હોત.

બીજેપી સાંસદ રવિ કિશને ચાર બાળકોના પિતા બનવા બદલ કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, જયારે કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તામાં હતી, ત્યારે વસ્તી નિયંત્રણ બિલ લાવી હોત, તો તેઓ અટકી જાત અને ચાર બાળક પેદા ન કરત.

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવનાર કિશને સંસદમાં વસ્તી નિયંત્રણ બિલ રજૂ કરતાં પહેલાં ન્યૂઝ ચેનલ આજતક દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

ગોરખપુરના લોકસભા સાંસદ રવિ કિશને વસ્તી નિયંત્રણ બિલની હિમાયત કરતી વખતે કહ્યું હતું કે તેમના શરૂઆતના સંઘર્ષશીલ અભિનેતા તરીકેના દિવસોમાં તેમણે ગર્ભાવસ્થા સાથે તેમની પત્નીની તબિયત બગડતી જોઈ હતી.

હવે જ્યારે હું પરિપક્વ થયો છું અને મારી કારકિર્દીમાં સ્થિરતા મળી છે, ત્યારે હું જયારે પણ મારી પત્ની તરફ જોઉં છું ત્યારે હું દિલગીરી અનુભવું છું. તેમણે કહ્યું, જો કોંગ્રેસ સરકાર અગાઉ બિલ લાવી હોત, તો હું અટકી ગયો હોત. આ સાંભળતા જ પ્રેક્ષકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં આ મામલે ગંભીરતા દાખવવી જોઈતી હતી. કોંગ્રેસ આ માટે દોષી છે, કારણ કે ત્યારે તેમની સરકાર હતી.

આ પણ વાંચો:
ખજૂરભાઈ ગોઠવાઈ ગયા! ઇન્સ્ટા પર શેર કરી સગાઈની તસવીર, જુઓ કોની સાથે થયું સગપણ

આ પણ વાંચો:
ખજૂરભાઈ ગોઠવાઈ ગયા! ઇન્સ્ટા પર શેર કરી સગાઈની તસવીર, જુઓ કોની સાથે થયું સગપણ

કિશને કહ્યું કે ચીને વસ્તીને નિયંત્રિત કરી છે. જો અગાઉની સરકારો વિચારશીલ હોત તો પેઢીઓએ સંઘર્ષ ન કર્યો હોત. તેમણે કહ્યું કે આ વિષય પર આરોપો અને પ્રતિ-આક્ષેપો માટે બોલાવશે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે આવા કાયદાઓનું પરિણામ 20થી 25 વર્ષ પછી પ્રચલિત થશે.

ઇવેન્ટ દરમિયાન કિશને નોંધ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની વર્તમાન સરકાર માત્ર મંદિરો જ નહીં, પરંતુ રસ્તાઓ પણ બનાવી રહી છે. કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ AIIMS પણ બનાવવામાં આવી રહી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement